એન્કાઉન્ટર/ શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકાવદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા

Top Stories India
3 43 શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકાવદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અને સીઆરપીએફની ટીમે સાથે મળીને કાર્યવાહી કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. પોલીસે મોડી રાત્રે જણાવ્યું કે શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું છે. જેમાં પોલીસ અને CRPFની ટીમે આતંકવાદીઓનો સામનો કર્યો હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ સંદર્ભમાં, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે બે સ્થાનિક લશ્કર-એ-તૈયબા,ટીઆરએફ આતંકવાદીઓ છે, જેઓ શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, તેઓ નાગરિકોની હત્યા સહિત તાજેતરના ઘણા આતંકવાદી ગુનાઓમાં સામેલ હતા.

તાજેતરમાં જ સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, “પોલીસે, સુરક્ષા દળોની મદદથી, બડગામમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે.

“તેમની પાસેથી પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે,” પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓને બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા અને તેમની ઓળખ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી તરીકે કરવામાં આવી હતી. વસીમ અહેમદ ગનાઈ અને ઈકબાલ તરીકે  થઇ છે