Dahod News/ દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા: નલ સે જલ યોજના નિષ્ફળ ! મહિલાઓ તળાવમાં ઉતરીને પાણી ભરે છે

પાણીની ગંભીર સમસ્યા ના કારણે મહિલાઓને દરરોજ તળાવના પાણીમાં થઈને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કુવા સુધી જવું પડે છે

Gujarat Others
પાણીની ગંભીર સમસ્યા

Dahod News : દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા વિકટ બની છે. ગરબાડાની નજીક આવેલા સમલીયા બુઝર્ગ ગામમાં લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકારે નલ-સે જલથી દરેક ઘરમાં પાણી પહોંચાડ્યું હોવાનું કહ્યું છે. પરંતુઆ ગામની વાસ્તવિકતા અલગ જ છે.

પાણીની ગંભીર સમસ્યા નળ મૂકાયા છે પણ ત્યાં પાણી નથી આવતું

આ ગામમા પાણીની ગંભીર સમસ્યા ના કારણે લોકોને જીવન જરૂરી એવું પીવાનું પાણી મેળવવા ભારે સંઘર્ષ કરવો પડે છે. તેમાં પણ માળ ફળિયાના લોકોની હાલત વધુ દયનીય છે.ગામની મહિલાઓને દરરોજ તળાવના પાણીમાં થઈને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કુવા સુધી જવું પડે છે.

લોકો પીવાનું પાણી મેળવવા માટે તળાવમાંથી પસાર થાય છે! લાખો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા નલ-સે-જલ યોજના અહીં અમલમાં મુકવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં નળો લગાવવામાં આવ્યા છે, પરંતુ અન્ય વિસ્તારોમાં તો આજે પણ નળો મૂકાયા જ નથી અને જ્યાં નળો મૂકાયા છે, ત્યાં પાણી આવી રહ્યું નથી.

શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે પાણીના નળો

આટ આટ લા ખર્ચા કર્યા બાદ અને આજાદી ના આટલ વરસ પછી પણ જો આજ હાલત હોય તો સ્માર્ટ સિટી અને ગ્રો ઇંગ ઈન્ડિયા ના શું મતલબ, પાણીની ગંભીર સમસ્યા માટે નલ-સે-જલ યોજના અંતર્ગત જેના માટે કરોડોનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, તે કામોમાં ફક્ત વેઠ જ ઉતારવામાં આવી હોય તેવું જણાય છે. 70% કામ પૂરું થયું હોવાનો એજન્સી દ્રારા દાવો કરવામા આવે છે, પરંતુ વાસ્તવિકતા ગામની હાલતમાં સ્પષ્ટ દેખાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નલ સે જલ યોજનાની કામગીરી અધૂરી! મહિલાઓ આજે પણ કુવામાંથી પાણી ભરવા મજબૂર

આ પણ વાંચો: વાસ્મોનો ભ્રષ્ટાચારઃ નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં વહી ગયા

આ પણ વાંચો: પંચમહાલ :નલ સે જલ યોજના હેઠળ ભ્રષ્ટાચારનો આક્ષેપ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનો આક્ષેપ ભાજપ નેતાએ જ ભ્રષ્ટાચાર થયો હોવા અંગેની કરી રજૂઆત