બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની જોડી એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. પરંતુ ઘણી વાર બંનેના લગ્નને લઈને રાજ કુંદ્રાની પહેલી પત્ની કવિતાના નિવેદનો આવતા રહે છે. રાજ કુંદ્રા ખૂબ જ શાનદાર માણસ તરીકે જાણીતા છે, પરંતુ હવે તેમણે પહેલીવાર પોતાની ભૂતપૂર્વ પત્ની કવિતા વિશે સનસનાટી ભરેલો ખુલાસો કર્યો છે.
કવિતાને અફેર હતું
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ તેની પૂર્વ પત્ની કવિતાના આરોપો પર પહેલીવાર મૌન તોડ્યું છે. રાજે એક લાંબી મુલાકાતમાં જણાવ્યું છે કે તેની પૂર્વ પત્ની કવિતાને અફેર હતું, જેના કારણે તેણે અલગ થવાનું નક્કી કર્યું.
શા માટે મૌન તોડ્યું
ETimesને આપેલા ઇન્ટરવ્યુમાં રાજે ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી કવિતા કુંદ્રાના એક જૂના ઇન્ટરવ્યુના આધારે શિલ્પા વિરુદ્ધ વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તેથી જ તેણે ખુલ્લેઆમ બહાર આવવાનું નક્કી કર્યું છે.
કવિતાને રાજની માતાએ રંગે હાથે પકડી હતી
રાજે આ વાતચીતમાં કહ્યું, ‘હું વર્ષોથી આ મુદ્દે મૌન છું, પણ હવે હું આ વિશે વાત કરીને હળવાશ અનુભવું છું કારણ કે હું સત્ય બોલવામાં સમર્થ છું. મારી માતાએ મારી ભૂતપૂર્વ પત્ની કવિતા અને મારી બહેનના પતિ વંશને ઘણીવાર વાંધાજનક પરિસ્થિતિમાં પકડ્યા હતા. અહીં 2 પરિવારો બરબાદ થઈ રહ્યા હતા અને તેઓએ તેના વિશે વિચાર્યું પણ નહોતું.
છૂટાછેડા પછી કવિતા સાથે ક્યારેય વાત નહોતી કરી
રાજના છૂટાછેડાને ઘણાં વર્ષો વીતી ગયા, પરંતુ આજ સુધી તેણે કવિતા સાથે વાત પણ કરી નથી. આ અંગે રાજે કહ્યું, ‘મેં કવિતા સાથે ક્યારેય વાત કરી નથી અને મારે કરવી પણ નથી.’ તેણે કહ્યું કે મેં મારી પુત્રીને મળવાનો ચોક્કસ પ્રયાસ કર્યો હતો, પરંતુ કવિતાના પરિવારે આવું ક્યારેય થવા દીધું નહીં. મેં મારી પુત્રીને ફક્ત 40 દિવસની હતી તે વખતે જોઈ હતી. પછી શિલ્પા સાથે લગ્ન કર્યા પછી હું ભારત આવ્યો. તેણે આગળ કહ્યું કે, ‘કવિતા નથી ઇચ્છતી કે હું મારી પુત્રીને મળી શકું અને તે સમયે કોર્ટે પણ કવિતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.’
ક્યારેય માફ કરી શકતો નથી
આ પછી રાજે કહ્યું, ‘આ દિવસોમાં જ્યારે મેં જુના લેખો વાયરલ થતા જોયા, ત્યારે તેઓએ શિલ્પાને મોકલ્યા. પરંતુ તેણી ક્યારેય ઇચ્છતી નહોતી કે હું આ વિશે વાત કરું. આ લેખો ખાસ કરીને તેના જન્મદિવસ પછી વાયરલ થયા હતા અને તે મને આંચકો આપી રહ્યો હતો. કવિતાએ મારી સાથે માત્ર છેતરપિંડી જ નહીં પરંતુ 2 પરિવારોને બરબાદ કરી દીધા હતા. આ માટે હું તેને ક્યારેય માફ કરી શકતો નથી. શિલ્પા મારા ઇન્ટરવ્યુથી નારાજ છે, પણ મને ખબર છે કે સત્ય કોઈક સમયે બહાર આવવાનું જ હતું.
કવિતા અને રાજનાં લગ્ન 2003 માં થયાં હતાં
આપને જણાવી દઈએ કે રાજ કુંદ્રા અને કવિતાએ લંડનમાં એક બિઝનેસમેન પરિવારની પુત્રી કવિતા સાથે લાંબા સંબંધ પછી લગ્ન કર્યા હતા. લગ્ન લાંબું ચાલ્યું નહીં, બંને ફક્ત 3 વર્ષ પછી છૂટા પડ્યા. આ પછી, ડિસેમ્બર 2006 માં બંનેના છૂટાછેડા થયા અને ત્રણ વર્ષ બાદ 2009 માં રાજે શિલ્પા સાથે લગ્ન કરી લીધા હતા.