Bollywood/ અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

મનીષા કોઈરાલા કોઈ પરિચયની મોહતાજ નથી.90 ના દાયકાની સૌથી સુંદર અને ટોચની અભિનેત્રીઓમાંની એક મનીષા  આજે પણ એકલી છે

Trending Entertainment
mmmm અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

મનીષા કોઈરાલા કોઈ પરિચયની મોહતાજ નથી.90 ના દાયકાની સૌથી સુંદર અને ટોચની અભિનેત્રીઓમાંની એક મનીષા  આજે પણ એકલી છે. મનીષાએ ફિલ્મી કરિયરની શરૂઆત સૌદાગર ફિલ્મથી કરી હતી, પરંતુ લગ્ન પછી મનીષાએ ધીમે ધીમે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી. અને તે પછી તે સાધ્વી બની ગઈ મનિષા સિંહસ્થ કુંભમાં ભગવાન અને યોગ ૠષિઓના આશ્રયમાં હતી.

હિન્દી ઉપરાંત પણ કરી અનેક ફિલ્મો..

 

manisha અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા એ 90ના દાયકામાં ઘણી ફિલ્મો માં કામ કર્યું છે તે પોતાના અંગત જીવન ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી એ ભારતીય હિન્દી ફિલ્મો ઉપરાંત મલયાલમ તેલુગુ બંગાળી અને નેપાળી ફિલ્મોમાં કામ કર્યું છે મનીષાનો જન્મ નેપાળ માં થયો હતો અભિનેત્રી પોતાની મહેનતના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. તેણે પોતાના ફિલ્મી કરિયર માં ઘણી ફિલ્મો કરી છે. જેમાંથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ પણ રહી હતી. લાલ બાદશાહ, લાવારિસ, મન, જય હિંદ, દિલ સે, સલાખેં, ખામોશી, જાની દુશ્મનની એક અનોખી કહાની, અને લજ્જા. જેવી અનેક ફિલ્મો છે. મનીષાના અભિનયને આજે પણ લોકો યાદ કરે છે અને રાહ જોવો છે કે ક્યારેક તે કમબેક કરશે.

અફેરનું લીસ્ટ ઘણું લાં..બુ …

nana and manisha અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ સૌદાગરમાં મનીષા કોઈરાલા અને વિવેકે સાથે કામ કર્યું હતું ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા. પરંતુ તેમની નિકટતા ટૂંક સમયમાં અંતરમાં ફેરવાઈ ગઈ. નાના પાટેકર અને મનીષા કોઈરાલા ની લવ સ્ટોરી. વર્ષ ૧૯૯૬ ની વાત હતી જ્યારે બંનેએ અગ્નિસાક્ષી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજા તરફ આકર્ષિત થવા લાગ્યા. આ પછી, બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. સંજોગોવશાત્, આ બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ખામોશીમાં સાથે કામ કરવાના હતા. એટલું જ નહીં, તે સમયે મનીષાના પાડોશીઓએ પુષ્ટિ કરી હતી કે તેમણે નાના પાટેકરને સવારે મનીષાના ઘરેથી ઘણીવાર નીકળતાં જોયા છે. નાના પાટેકર.પોતાના જમાનાના સુપરહિટ હીરો હતા અને તે સમયે મનીષા કોઈરાલાના પ્રેમમાં હતા. બંને ઘણી વખત જાહેર સ્થળો પર સાથે જોવા મળ્યા છે. મનીષાનું નાના પાટેકરના ઘરે આવવા જવાનું ચાલતું રહેતું હતું. આ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ બન્ને વચ્ચે અંતર ક્યારે આવ્યું અને એકબીજાથી છૂટા કેમ પડ્યા તેનું કારણ આજે પણ રણસ્ય છે..

dj and manisha અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

ત્યાર પછી મનિષા અને ડીજે હુસૈન વચ્ચે પ્રેમનો સીલસીલો શરૂ થયો. ડીજે મનીષાને ખૂબ પ્રેમ કરતા હતા અને બંને થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં પણ હતા. ડીજે પણ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. હુસૈને તેને પ્રપોઝ પણ કર્યું પરંતુ મનીષાએ ના પાડી. અને એક નાઈજીરિયન બિઝનેસમેન સેસિલ એન્થોની સાથે તેનું નામ જોડાયું. બંનેના અફેર વિશે બધાને જલ્દી જ ખબર પડી ગઈ. પરંતુ આ બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ બંને છૂટા પડી ગયા. મનીષા કોઈરાલા સેસિલ એન્થનીથી અલગ થતાં જ આર્યન વૈદના પ્રેમમાં પડી ગઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ મનીષાનું દિલ તૂટી ગયું હતું. હંમેશની જેમ આ સંબંધ પણ તૂટી ગયો.  એવી જ રીતે પ્રશાંત ચૌધરી મનીષા કોઈરાલાને ખૂબ પ્રેમ કરતા હતા. અને મનીષા સાથે લગ્ન પણ કરવા માંગતો હતો. પારિવારિક દબાણને કારણે બંને સાથે રહી શક્યા ન હતા. અને આ બંનેએ પોતાના માર્ગો પણ અલગ કર્યા. પ્રશાંત ચૌધરીથી અલગ થયા બાદ મનીષા એકલતા અનુભવવા લાગી હતી. ફરી એકવાર મનીષા કોઈરાલા નેપાળમાં રહેતા એક ખ્રિસ્તીના પ્રેમમાં પડી. તેઓ લાંબા સમય સુધી એકબીજા સાથે રહ્યા. ક્રિશ્ચિયન મનીષાને ખૂબ પ્રેમ કરતો હતો. અને તે પણ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. ક્રિશ્ચિયને મનીષાને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ આ વખતે મનીષાએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ફરી એકવાર તેમનો સંબંધ તૂટી ગયો. મનીષાએ તેના જીવનમાં તારિકા પ્રેમજીને પણ પ્રેમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તારિક પ્રેમજી પ્રખ્યાત બિઝનેસમેન અઝીમ પ્રેમજીના પુત્ર છે. મનીષા અને તારિકા બંને એકસાથે ખૂબ જ સારા લાગતા હતા. બાકીના લોકોને આ બંનેની જોડી ખૂબ જ પસંદ આવી હતી.પરંતુ તેમના સંબંધો પણ વધુ ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં બ્રેકઅપ થઈ ગયું.

manisha and cristofer અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

રાજીવ મૂલચંદાની.રાજીવ મૂલચંદાની એક ભારતીય મોડલ છે. મનીષા કોઈરાલાને મળ્યા પહેલા તેઓ કોઈ બીજાના પ્રેમમાં હતા. રાજીવ મૂલચંદાનીએ જ્યારે મનીષાને જોઈ ત્યારે તે તેના માટે પાગલ બની ગયો. અને મનીષા માટે તેણે તેની ગર્લફ્રેન્ડ ઐશ્વર્યાને છોડી દીધી. મનીષા કોઈરાલાએ પોતે મીડિયા સામે પોતાના સંબંધો વિશે કબૂલાત કરી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ મનીષા અને રાજીવ સાથે રહી શક્યા નહીં. રાજીવ મૂલચંદાનીથી અલગ થયા બાદ મનીષા કોઈરાલાએ સંદીપ ચૌટાને પોતાનું હૃદય આપી દીધું હતું. સંદીપ ચૌટા સંગીતકાર છે. તેઓ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. પરંતુ સંદીપના કારણે મનીષાનું બ્રેકઅપ થઈ ગયું. મનીષા કહે છે કે તે અમારા સંબંધોને લઈને બિલકુલ ગંભીર ન હતો. સંદીપથી દૂર થયા પછી ફરી એકવાર પ્રેમમાં પડી. મનીષા અને ક્રિસ્ટોફર 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ વખતે પણ મનીષા દુલ્હન બની શકી નહીં અને ટૂંક સમયમાં તેણે ક્રિસ્ટોફર સાથે સંબંધ તોડી નાખ્યો.

પ્રેમ નશીબમાંજ નથી..

samrat and manisha અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

ઘણા બધા અફેરો પછી મનીષાએ 2010માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. સમ્રાટ દહલ એક સફળ બિઝનેસમેન છે. ટૂંક સમયમાં જ તેમના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા. મનીષાએ સમ્રાટ દહલને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો. મનીષાએ 2012માં સમ્રાટ દેહલથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ મનીષા કેન્સરની બિમારીથી ગ્રસ્ત થઈ ગઈ. મનીષાએ અમેરિકા જઇને પોતાની બીમારીનો ઈલાજ કરાવ્યો. હવે મનીષા કોઈરાલા પહેલાં કરતા વધારે સ્વસ્થ છે. ડઝન જેટલા પુરૂષોને પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલાને લાગે છે કે પ્રેમ તેના નશીબમાંજ નથી.