સંયુક્ત રાષ્ટ્ર
જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ ઉત્તર કોરિયાના નેતા કિમ-જોન-ઉન સાથે મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શિન્ઝો આબે પ્યોંગયાંગ સાથે નવા સ્તરના સંબંધ શરુ કરવા માંગે છે અને જાપાની નાગરિકોના અપહરણ મામલે ચાલી રહેલા જુના વિવાદનો અંત લાવવા માંગે છે.
આબેએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધીને કહ્યું હતું કે તે બંને દેશ વચ્ચે ચાલી રહેલા પ્રોબ્લમને દૂર કરવા માંગે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે જો કે હજુ સુધી મુલાકાત વિશે કઈ નક્કી નથી કરવામાં આવ્યું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું કે આ ઉચ્ચ સ્તરીય બેઠક હશે અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ અપહરણની સમસ્યાનો ઉકેલ લાવવાનો રહેશે.