Jammu Kashmir/ ભાજપના 3 નેતાઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ આ રીતે ઠાર મરાયો…

શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લાહ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેનો એક સાથીને જીવંત પકડવામાં સેનાને સફળતા મળી છે. આ વર્ષે સૈફુલ્લાહને આ વર્ષે જ હિઝબુલે  તેનો ચીફ

India
kashmir ભાજપના 3 નેતાઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ આ રીતે ઠાર મરાયો...

શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લાહ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેનો એક સાથીને જીવંત પકડવામાં સેનાને સફળતા મળી છે. આ વર્ષે સૈફુલ્લાહને આ વર્ષે જ હિઝબુલે  તેનો ચીફ બનાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર સૈફુલ્લાહને ઠાર માર્યો છે.  રિયાઝ નાઈકુની હત્યા બાદ સૈફુલ્લાને હિઝબુલ દ્વારા ચીફ કમાન્ડર બનાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લાહ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેનો એક સાથીને જીવંત પકડવામાં સેનાને સફળતા મળી છે. આ વર્ષે સૈફુલ્લાહને આ વર્ષે જ હિઝબુલે  તેનો ચીફ બનાવ્યો હતો. રંગરેથમાં સૈન્યનું  સર્ચ ઓપરેશન ચાલુ છે.

ideology / શશી થરૂરે પેપ્સી-કોકનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, ભાજપની ચાલ …

by election / કોંગ્રેસ 25 વર્ષથી સત્તામાં નથી અને આગામી 25 વર્ષ પણ સત્તામા…

જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરોની હત્યા પાછળ સૈફુલ્લાહનો હાથ હતો. 72 કલાકમાં જ સેનાએ ભાજપના નેતાઓની હત્યારાને થર માર્યો છે.

by election / સનસનાટી મચાનતા આક્ષેપો કરનાર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંત…

તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી કુમારે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓની હત્યા પાછળ સૈફુલ્લાનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘટના પાછળ આતંકી સંગઠન લશ્કરનો હાથ હતો. તેમણે સૈફુલ્લાહના મોતને મોટી સફળતા ગણાવી અને કહ્યું કે અમે તે આતંકવાદીઓ શોધી રહ્યા છીએ જેઓ ભાજપના નેતાઓની હત્યા પાછળ હતા.

આ એન્કાઉન્ટરમાં એક આતંકીને જીવતો પકડ્યો હોવાના સમાચાર પણ છે. પરંતુ આઈજી વિજય કુમારે  કોઈ આતંકવાદી પકડવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ આતંકવાદી પકડાયો નથી. સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. રંગરેથ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે.