INDIA-CHINA/ સિક્કિમમાં સણસણતો જવાબ મળતા ચીનની ચાપલુસી, કહ્યું- સરહદ પર શાંતિ જાળવવા કટિબદ્ધ

ગત સપ્તાહે સિક્કિમના નકુ લામાં થયેલા અથડામણમાં ભારત અને ચીનના સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખરેખર, ચીની સૈનિકોએ આ વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સૈનિકો રોકવામાં સંપૂર્ણ સફળ રહ્યા.

Top Stories India

ગત સપ્તાહે સિક્કિમના નકુ લામાં થયેલા અથડામણમાં ભારત અને ચીનના સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખરેખર, ચીની સૈનિકોએ આ વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સૈનિકો રોકવામાં સંપૂર્ણ સફળ રહ્યા. હવે ચીનના વિદેશ મંત્રાલયે આ અથડામણના અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે બેઇજિંગ સરહદ પર શાંતિ જાળવવા કટિબદ્ધ છે.

ચીનના વિદેશ મંત્રાલયની દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, પ્રવક્તા ઝાઓ લિજિઅને કહ્યું, “તમે જે વાક્યનો ઉલ્લેખ કરી રહ્યાં છો તે વિશે મારે કહેવા માટે કંઈ નથી.” હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ભારતની સરહદ પર તૈનાત અમારા સૈન્ય શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.’

INDIA-CHINA / ચીનનાં વધતા ચંચુપાત વચ્ચે રાહુલ ગાંધીનાં PM પર તીખા તીર, કહ્યું ‘મિસ્ટર 56’ મૌન કેમ?

વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે ભારતને તે જ દિશામાં આગળ વધવા વિનંતી કરીએ છીએ અને પરિસ્થિતિને વણસી રહેલી અથવા સરહદ પર તણાવ વધારતા કોઈ પગલાથી બચવા માટે કહીએ છીએ. અમને આશા છે કે બંને દેશો મતભેદોને નાબૂદ કરવા માટે પૂરતી કાર્યવાહી કરશે અને સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા નક્કર પગલા ભરશે. ‘

મંતવ્ય / શાળાઓ શરુ કરવાની ઉતાવળ શાંત પડેલા કોરોનાને અશાંત બનાશે? શાળા એટલે માસ કોમ્યુનિટી, તે ન ભુલાય..

આપને જણાવી દઇએ કે આ અગાઉ ભારતીય સૈન્યએ ચીની આર્મી સાથેના સંઘર્ષની પુષ્ટિ કરી હતી. જો કે, તેમણે કહ્યું કે તે અથડામણનો મામલો છે અને સ્થાનિક કમાન્ડરોના સ્તરે આ મુદ્દો ઉકેલી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના સૈનિકોએ ઉત્તર સિક્કિમના નાકુલા સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેટલાક ચીની સૈનિકો પણ ઘાયલ થયા છે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…