ગુજરાત રાજ્યમાં કોરોના નવા કેસમાં મોટો ઘટાડો નોધાઇ રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે 481 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,19,376 પહોચ્યો છે .રાજ્યમાં આજે 9 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1526 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા7,97,734 છે .જે પૈકી 296 વેન્ટિલેટર પર છે.અત્યાર સુધીમાં 9985 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.