પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં મોટાભાગનાં ખાતા મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2018 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહેવાલ કરાયેલા મોટાભાગનાં લોન ખાતા મૃતકોનાં નામે હતા અથવા જેમના ખાતા બંધ કરાવ્યા હતા તેમના નામે હતા. આ ખાતાઓનાં 45 દિવસની અંદર તેમની માહિતી બનાવીને આરબીઆઈને સબમિટ કરવામાં આવી. આ ખાતાઓમાં આપવામાં આવેલી માહિતી એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોન કરતા ઘણી ઓછી હતી. આપને જણાવી દઇએ કે, આ 21,049 બેન્ક ખાતાઓ કોર બેંકિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા ન હોતા, તેમને અગાઉથી રિઝર્વ બેન્ક સમક્ષ એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
રિઝર્વ બેન્કે તેની તપાસમાં એચડીઆઈએલનાં 44 માંથી 10 ખાતા જ યોગ્ય હોવાનું જણાવાયુ છે. રિઝર્વ બેન્ક હજી પણ બાકીનાં ખાતા ધારકોને ઓળખવામાં વ્યસ્ત છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડની બેન્કનાં ભંડાર પર ખૂબ ખરાબ અસર પડી છે. ભંડોળની અછત 3000 કરોડથી વધુ હોઈ શકે છે. રિઝર્વ બેન્કનું વેલ્યુએશન પૂર્ણ ન થાય ત્યાં સુધી આમાં વધુ વૃદ્ધિ થવાની ધારણા છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN