૨૦૧૮માં યોજાનારી IPL ની ૧૧ મી સીઝન માટે દરેક ટીમ દ્વારા ખેલાડીઓના રીટેન્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીટેન્શનમાં કુલ ૨૮ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કર્યા હતા જેમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઈન્ડીયન, ચેન્નઈ અને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ૩-૩ ખેલાડી જયારે કેકેઆર, સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે ૧-૧ ખેલાડી રિટેન કર્યા હતા.
આ રીટેન્શનની પ્રક્રિયામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને RCB દ્વારા સૌથી વધુ ૧૭ કરોડ રૂપિયા સાથે રિટેન કર્યો હતો જયારે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરની બાદબાકી કરતા આશ્ચર્ય જોવા મળ્યું હતું.
રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે કેપ્ટન વિરાટ કોહલી સાથે એબી ડી વિલિયર્સને ૧૧ કરોડ અને સરફરાઝ ખાનને ૧.૭૫ કરોડમાં રિટેન કર્યા હતા.
બે વર્ષ બાદ પછી ફરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોની માટે ૧૫ કરોડ, સુરેશ રૈના માટે ૧૧ કરોડ અને રવીન્દ્ર જાડેજા માટે ૭ કરોડમાં રિટેન કર્યા હતા.
મુંબઈ ઈન્ડીયને રોહિત શર્માને ૧૫ કરોડ, હાર્દિક પંડ્યાને ૧૧ કરોડ અને જસપ્રીત બુમરાહને ૭ કરોડમાં ખરીદયા હતા.
કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા સુનીલ નારાયણને ૮.૫ કરોડ અને આંદ્રે રસેલને ૭ કરોડમાં રિટેન કર્યા હતા.
દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ઋષભ પંતને ૮ કરોડ, ક્રિસ મોરિસને ૭.૧ અને શ્રેયસ અય્યરને ૭ કરોડમાં રિટેન કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ૧૨ કરોડ રૂપિયામાં ખરીદયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ૧૨ કરોડ જયારે ભુવનેશ્વર કુમારને ૮.૫ કરોડમાં રિટેન કર્યા હતા.
કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષર પટેલને ૬.૭૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતો.