નેપિયર,
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, ત્યારે તેઓનો પ્રથમ મુકાબલો બુધવારના રોજ નેપિયરમાં રમાશે. ભારતીય સમય અનુસાર સવારે ૭.૩૦ વાગ્યે આ મેચ શરુ થશે.
જો કે આ મુકાબલા પહેલા બંને ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કેન વિલિયમસને વન-ડે ટ્રોફી સાથે ફોટો ખેચાવ્યો હતો.
જોવામાં આવે તો, અત્યારસુધી ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં એમ એસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ ૦-૪થી ગુમાવી હતી.
આ ઉપરાંત ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ૬ વન-ડેમાં ભારતને એક પણ મેચમાં જીત મળી નથી તેમજ બ્લેકકેપ સામે અંતિમ વન-ડે ૧૧ માર્ચ, ૨૦૦૯ના જીતી હતી, જેમાં ભારતે ૮૪ રનથી વિજય મેળવ્યો હતો.