સુરત,
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીજીવીસીએલની ઓફીસ પર લોકોએ હંગામો મચાવ્યો હતો. ઉજાલા યોજના હેઠળ આપવામાં આવેલા બલ્બ બદલી નહીં આપતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવી નાંખ્યો હતો. લોકોનો આરોપ છે કે યોજના હેઠળ આપવામાં આવેલા બલ્બ બગડી જતા નિશુલ્ક બદલી આપવાના હોય છે. તેમ છતાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરો બલ્બ બદલી આપતા નથી અને માત્ર વાયદાઓ કરી રહ્યા છે.