સુરત,
સુરતમાં એસવીએનઆઇટી કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પીએચડી માટે સ્ટાઇપેન્ડ વધારવાની માંગને લઇને કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપન્ડ આપવામાં આવતું નથી.
જેથી અમે આ વિરોધ કરી રહ્યા છીએ. 250 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને હાથમાં બેનરો સાથે રેલી કાઢી હતી અને ધરણાં પર બેસી ગયા હતા.
મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે. છતાં પણ કોઇ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી. ઉપરાંત પ્રકાશ જાવડેકરને પણ 250 જેટલા પત્ર લખવામાં આવ્યા છે.