મુંબઈ,
ક્રિકેટની દુનિયાના ભગવાન એવા સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું ૮૭ વર્ષની ઉંમરે બુધવાર સમી સાંજે નિધન થયું હતું, ત્યારબાદ ગુરુવારે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
પોતાના ગુરુ સમાન કોચ એવા આચરેકરના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી સહિતના ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
https://youtu.be/KepwnF53jjM
જો કે આ દરમિયાન સચિન ભાવુક થયા હતા અને કોચની અર્થીને કાંધ પણ આપી હતી.