Arrested/ મહિલા સાથે દુર્વ્યવહારના આરોપી શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, પકડનાર પોલીસ ટીમને આટલા લાખનું ઈનામ

નોઈડા પોલીસે મંગળવારે મેરઠથી 25 હજારના ઈનામી ‘ગાલીબાઝ’ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી હતી જે બાદ નોઈડા પોલીસે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો

Top Stories India
3 1 7 મહિલા સાથે દુર્વ્યવહારના આરોપી શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, પકડનાર પોલીસ ટીમને આટલા લાખનું ઈનામ

નોઈડા પોલીસે મંગળવારે મેરઠથી 25 હજારના ઈનામી ‘ગાલીબાઝ’ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી હતી. જે બાદ નોઈડા પોલીસે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં જતી વખતે આરોપી મીડિયાના સવાલો ટાળતો રહ્યો. જો કે તેનો ઘમંડ ઓછો થતો જણાતો ન હતો.

નોંધનીય છે કે મહિલા સાથે દુર્વ્યવહારના આરોપી ત્યાગીની ધરપકડ કરનાર પોલીસ ટીમ માટે 3 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ACS હોમ અવનીશ અવસ્થીએ 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, જ્યારે DGP ડૉ ડીએસ ચૌહાણ રૂપિયા 1 લાખનું ઈનામ આપશે.

5 ઓગસ્ટે મહિલા સાથે દુર્વ્યવહાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના સંદર્ભમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારથી આરોપી ફરાર હતો. પોલીસે તેના પર ગેંગસ્ટરની કાર્યવાહી કરીને 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. પોલીસની 12 ટીમ તેને શોધવામાં વ્યસ્ત હતી. આખરે આજે તેની તેના ત્રણ સાથીદારો સાથે મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ ઓમેક્સ સોસાયટીની મહિલાઓ આગળ આવી છે. તેમણે શ્રીકાંતને જામીન ન આપવા માંગ કરી છે. મહિલાઓએ કહ્યું કે તેમની સામે પહેલા પણ કેસ થયા હતા, છતાં તેઓ બહાર હતા. જો આમ ન થાય તો ફરી આવી જ રીતે બહાર આવીને સમાજના લોકોનો ગૂંગળામણ કરશે.

આરોપીએ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તેના વાહન પર લાગેલું વિધાનસભા સચિવાલયનું સ્ટીકર તેને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું.  કાર્યવાહી કરીને પોલીસે શ્રીકાંત ત્યાગીના પાંચ વાહનો જપ્ત કર્યા છે. જેમાંથી એક પર MLAનું સ્ટીકર હતું. જયારે અન્ય વાહનની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો પણ જોવા મળ્યો હતો.

પોલીસે જણાવ્યું કે નકુલ ત્યાગી, સંજય અને ડ્રાઈવર રાહુલ તેના મુખ્ય મદદગાર હતા. આરોપી ભાગીને દિલ્હી એરપોર્ટ જઈ રહ્યો હતો, પરંતુ વીડિયો વાયરલ થયો હતો, તેથી પકડાઈ જવાના ડરથી ત્યાં જઈ શક્યો ન હતો. આ પછી તે ફરીથી મેરઠ પહોંચ્યો અને થોડો સમય રોકાયો, જ્યાં તેણે ફોન વગેરે બદલ્યા. ત્યારબાદ શનિવારે હરિદ્વારથી ઋષિકેશ ગયા અને રવિવારે પાછા યુપી આવ્યા. ત્યારપછી રવિવાર સાંજ પછી ફરીથી તમામ ઉપકરણો બદલાઈ ગયા અને પછી મેરઠ, મુઝફ્ફરનગર, બાગપતમાં રોકાયા.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં મંગળવારે શ્રીકાંત ત્યાગી પ્રકરણને લઈને ત્યાગી સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ત્યાગી સમાજના લોકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. શ્રીકાંત ત્યાગી દ્વારા મહિલા સાથે કરાયેલી અભદ્રતા અંગે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે શ્રીકાંત ત્યાગીના આ નિંદનીય કૃત્યમાં ત્યાગી સમાજની કોઈ વ્યક્તિ તેની સાથે નથી.  પોલીસે કાયદાકીય મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ. શ્રીકાંતના પરિવાર સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં.