યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વ ને લઈને તંત્ર ની તૈયારીઓ શરૂ , જિલ્લા કલેકટર દ્વારા દ્વારકા ખાતે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી અને જન્માષ્ટમી પર્વની સુચારુ રૂપે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું અને યોગ્ય માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
યાત્રાધામ દ્વારકાના જગત મંદિર માં આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર હોઈ તેને લઈને જીલા કલેકટર દ્વારા દ્વારકા ખાતે અધિકારીઓ અને આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કલેકટર અધ્યક્ષ સ્થાને થી તમામ અધિકારી ને સૂચનો આપવામાં આવ્યા હતા અને મંદિર અંદર લોકો ને પ્રવેશ મળવા માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
જિલ્લા કલેકટર દ્વારા દ્વારકાધીશ મંદિર અંદર અને બહાર એમ તમામ સ્થળો પર જ્યાં જ્યાં લોકો ને પ્રવેશ અને નિકાસ ની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં બેરીકેટ લગાવવામાં આવ્યા છે તે તમામ જગ્યા એ નજરીક્ષણ કરી યોગ્ય સૂચનો આપવામાં આવ્યા છે. સાથે જ કોરોના ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને લોકો પણ પાલન કરે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.