ગાંધીનગર/ નવા સત્રથી અમલમાં આવશે ધો. ૩થી૧૦ ના અમુક વિષયોના પુસ્તકોમાં થશે ફેરફાર

ગુજરાતમાં  આવતા નવા શૈક્ષણિક સત્રથી અમુક  વિષયના  નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરાશે. લાંબા સમયથી ધોરણ ૩થી૧૦ અને ધોરણ ૧૨ના પુસ્તકો બદલાયા ના હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખઆમ, દર વર્ષની જેમ આ વતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૩થી૧૦ અને ૧૨ના નવા ૫૧ પુસ્તકોમાં ધો. ૯ના ૫, […]

Gujarat Others
Untitled 300 નવા સત્રથી અમલમાં આવશે ધો. ૩થી૧૦ ના અમુક વિષયોના પુસ્તકોમાં થશે ફેરફાર

ગુજરાતમાં  આવતા નવા શૈક્ષણિક સત્રથી અમુક  વિષયના  નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરાશે. લાંબા સમયથી ધોરણ ૩થી૧૦ અને ધોરણ ૧૨ના પુસ્તકો બદલાયા ના હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખઆમ, દર વર્ષની જેમ આ વતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૩થી૧૦ અને ૧૨ના નવા ૫૧ પુસ્તકોમાં ધો. ૯ના ૫, ધો. ૭ના ૩, ધો. ૩ના ૧, ધો. ૪ના ૧, ધો. ૫ના ૨, ધો. ૬ના ૨, ધો. ૮ના ૨, ધો. ૧૦ના ૧ અને ધો. ૧૨ના ૧ વિષયના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. ઘણાં વર્ષોથી પુસ્તકો બદલાયા ના હોવાથી હાલના સમયની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાનો ર્નિણય કરાયો હતો.

ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ, તમિલ અને હિન્દી માધ્યમના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પાઠ્‌યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ અને ૧૧ના નવા પુસ્તકો ૨૦૧૬માં તૈયાર કરાયા હતા. જાેકે, તેમાં કેટલાક પુસ્તકો ૨૦૧૭માં તૈયાર થયા હતા. આ સિવાય ધોરણ ૧૦ અને ૧૨માં નવા પુસ્તકો ૨૦૧૭માં અમલમાં આવ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ના પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો ના હોવાથી ફેરફારની કવાયત શરૂ કરાઈ હતી અને તબક્કાવાર ફેરફાર કરવામાં આવ્યા છે .