અમદાવાદ
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા જતી ટીમ પર કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે એએમસીના અધિકારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી.
જયારે તોફાની તત્વોએ એએમસીની ટાટા સુમો પર પથ્થરમારો કરતા તેના કાંચ તૂટી ગયા હતા અને આ સમગ્ર બનાવની જાણ સરદાર નગર પોલીસને પ્રાપ્ત થતા પી.આઈ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
રોડ રસ્તા પર રખડતા ઢોર અને વાછરડાને પકડવા માટેનો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ હવે સફાળી જાગી છે અને શહેરના અનેક વિસ્તારોમાંથી રખડતા ઢોર અને વાછરડાને પકડી રહી છે અને તેમની કામગિરીને કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણના બનાવો પણ સામને આવી રહ્યા છે.