સુરતના વાકલી ખાતે છાત્રાલયમાં રહીનો અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ હજુ જાણી શકાય નથી. ત્યારે માંગરોળ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કોરોના કાળમાં નિયમોની ઐસી કી તૈસી કરતો વીડિયો આવ્યો સામે, પોલીસતંત્ર ઝડપાયું નિંદ્રામાં
સુરતના વાકલી ખાતે આવેલ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે વિધાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આ અંગે માંગરોળ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટના અંગેની જાણ યુવકના માતા પિતાને કરતા યુવકના માતા-પિતા છાત્રાલય ખાતે આવી પહોચ્યા હતા. ત્યારે વહાલ સોયા દીકરાના મૃત્યુ થતા માતા પિતા પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે પોલીસે યુવકના મૃતદેહનું પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો.