આરોપ/ ડમી કાંડમાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પર લાંચ લેવાનો આરોપ

ડમીકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ Allegation વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રુપિયા લીધા છે.

Top Stories Gujarat
Yuvrajsingh jadeja ડમી કાંડમાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પર લાંચ લેવાનો આરોપ

શિકારી ખુદ શિકાર બન ગયાની વાત વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહને Yuvarajsingh Jadeja તાજેતરની ઘટનામાં બરોબર લાગુ પડી રહી છે. Allegation સરકારમાં ચાલતા અનેક પ્રકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર અને તેમા પણ ખાસ કરીને સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર લાંચ લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

ડમીકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ Allegation વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રુપિયા લીધા છે. જોકે, આ વીડિયોની પુષ્ટી મંતવ્ય ન્યૂઝ કરતું નથી. આ ઉપરાંત ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી હોવાની પણ વાત સામે આવી છે.

આમ આદમી પાર્ટીના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ Allegation નોંધવામાં આવી છે. સિહોરના રબારીકા ગામે રહેતા અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો રમણિક જાની ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડમીકાંડમાં જે આરોપી પકડાયા છે તેમાં 4 પૈકી 3 આરોપી સરકારી કર્મચારી છે. Allegation આરોપી શરદ પનોત કોબડી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આરોપી પ્રકાશ દવે તળાજા BRC શાળામાં ફરજ બજાવે છે. આરોપી પ્રદીપ બારૈયા જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બળદેવ રાઠોડ ડોક્યુમેન્ટનું એડીટિંગ કરતો હતો. આપને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં શૈક્ષણિક બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિધાર્થીઓને બેસાડી ચલાવવામાં આવતા કૌભાંડ સામે 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લીલા સર્કલ પાસે મોહનતીર્થ સોસાયટીમાં રહેતો અને જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો પ્રદીપ બારૈયાનું પણ ફરિયાદમાં નામ છે.

કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો પ્રદીપ બારૈયાએ 2022માં લેવામાં આવેલ Allegation સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ટીમાણા અને ભાવનગરના બે ઉમેદવારોની જગ્યાએ ડમી ઉમેદવાર ગોતી લાવી અપાવી પરીક્ષા હતી. જે 2 પરિક્ષાર્થીઓએ ડમી ઉમેદવારોને બેસાડી પરીક્ષા અપાવી હતી તે બંને પણ હાલ સરકારી નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પ્રદીપ બારૈયાની પણ ધરપકડ કરી છે. હાલ એ.ટી.એસ દ્વારા પણ પ્રદીપની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડને 5 એપ્રિલના રોજ જાહેર કર્યું હતું. જેમાં ભાવનગર એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધી 4 શખ્સને ઝડપી લીધા છે. Allegation કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે તો અન્ય બોટાદ અને ગાંધીનગરના હોવાનું ખુલ્લું છે. હાલ પોલીસ દ્વારા શરદ કુમાર પનોત, પ્રકાશ ઓર પી.કે દવે, પ્રદિપ અને બળદેવની નામના સખ્યની ધરપકડ કરી લીધી છે. 2012 થી 2023 સુધી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Politics/ દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી’

આ પણ વાંચોઃ ગુજરાત/ સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચોઃ હેકર-રેન્સમ/ હેકરે ચોર્યો 10 ટીબી ડેટા, માંગી રેન્સમ મની