દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા અત્મહત્યા કરવાનાં કેસમાં હાલમાં ભારે વધારો નોંઘવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા તે પછી વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની પરંતુ શિક્ષણ કે તેને લગતી, કે કોઇ બીજા અગમ્ય કારણ જેવી નજીવી બાબતોમાં પોતાનું જીવન ટુંકાવવાનાં કિસ્સા સમગ્ર સમાજ અને પેરેન્ટલ જવાબદાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે ફરી સુરતમાંથી આવો જ અરેરાટી પમાડતો કિસ્સો સામે આવ્યો છે.
સુરતમાં 12 વર્ષની કિશોરીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. કોસમાડાના જુના હળપતિ વિસ્તારની ઘટના છે કે જ્યાં ધો.7 માં અભ્યાસ કરતી કિશોરીએ આપઘાત કર્યો હતો. આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
