Gir Somnath News: નેપાળમાં આવેલા વિનાશક પૂર (Nepal Flood) વચ્ચે ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો અને તેમના પરિવારજનો માટે જિલ્લા તંત્રએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. અસરગ્રસ્ત લોકો જિલ્લા કંટ્રોલરૂમ 02876-285063/64 અને ઇમરજન્સી હેલ્પલાઇન 1077 પર સંપર્ક કરી શકે છે.
નેપાળ પૂર વચ્ચે મદદ માટે Nepal Flood હેલ્પલાઇન જાહેર
નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદના કારણે રસુવા જિલ્લા સહિત નેપાળના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને પગલે ત્યાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો (Indian Tourists)ની સલામતી અને મદદ માટે સ્થાનિક તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનોને જરૂરી માહિતી પહોંચાડવા તથા મદદ માટે સંકલન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ હોય તો તેના પરિવારજનો તાત્કાલિક જિલ્લા તંત્રનો સંપર્ક કરી શકે છે.
ફસાયેલા વ્યક્તિની આ માહિતી તંત્રને આપવી જરૂરી
ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath)ના કોઈ નાગરિક નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોવાની જાણ થાય તો પરિવારજનો, સગાં-સંબંધીઓ અને ટૂર ઓપરેટરોને તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

મદદ મેળવવા માટે ફસાયેલા વ્યક્તિનું પૂરું નામ, સંપર્ક નંબર, હાલનું સ્થળ અને શક્ય હોય તો મુસાફરી સાથે જોડાયેલી અન્ય જરૂરી માહિતી આપવાની રહેશે. આ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવે તો રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને યોગ્ય માહિતી પહોંચાડવામાં સરળતા રહેશે.
જિલ્લા તંત્ર દ્વારા મળેલી માહિતી ઉચ્ચ તંત્ર સુધી પહોંચાડીને જરૂરી સહાય માટે સંકલન કરવામાં આવશે. તેથી પરિવારજનોને અફવા કે અપૂર્ણ માહિતીના આધારે ગભરાવાને બદલે સત્તાવાર હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
ગુજરાત કક્ષાએ પણ કંટ્રોલરૂમની વ્યવસ્થા
માત્ર ગીર સોમનાથ જ નહીં, પરંતુ નેપાળમાં ફસાયેલા ગુજરાતના અન્ય નાગરિકો માટે પણ રાજ્ય કક્ષાએ કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન (Helpline)ની વ્યવસ્થા કરવામાં આવી છે.
જરૂરિયાતમંદ લોકો રાજ્ય કંટ્રોલરૂમ નંબર 079-23251900, મોબાઇલ નંબર 9978405304 અને રાજ્ય હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 1077 પર પણ માહિતી આપી શકાય છે.
ભારતીય નાગરિકો માટે નેપાળમાં ઇમરજન્સી નંબર
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian Tourists) અથવા તેમના પરિવારજનોને તાત્કાલિક મદદ અને માહિતી માટે +977 985 131 6807 અને +977 970 910 7500 ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ બંને નંબરો પર WhatsApp દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા લોકો અથવા તેમના પરિવારજનો માટે આ સંપર્ક માધ્યમ મહત્વપૂર્ણ બની શકે છે.
આ કુદરતી આફતમાં બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર અને સંબંધિત એજન્સીઓ દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. લાપતા અથવા ફસાયેલા વ્યક્તિ અંગે ચોક્કસ માહિતી હોય તો પરિવારજનોને શક્ય તેટલી વહેલી તકે સત્તાવાર હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ પણ વાંચો:નેપાળ પૂરની સેટેલાઇટ ઇમેજ આઉટ; 500થી વધુ પ્રવાસીઓ લાપતા, ભારતે લંબાવ્યો મદદનો હાથ
આ પણ વાંચો:નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા, હેલ્પલાઇન નંબર જાહેર
