ગણેશચતુર્થી પર પોતાના નવા ઘરમાં સની લિયોને પગલાં માંડ્યા હતા અને એમનાં પતિ ડેનિયલ વેબરે એકદમ ખાસ અંદાજમાં એમને ઘરની અંદર લઇ ગયા હતા. બોલીવુડ એક્ટ્રેસ સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર ગણેશ ચતુર્થીનાં દિવસે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એમણે લખ્યું હતું કે, આ દિવસે શું કરવામાં આવે છે , શું સાચા રીતી રીવાજ હોય છે એ હું કઈ નથી જાણતી. પરંતુ ડેનિયલ અને હું અમારા ગણપતિ મુંબઈનાં નવા ઘરમાં લઇ જઈને મનાવી રહ્યા છે. બધાને ગણેશ ચતુર્થીની વધામણી.
માત્ર આટલું જ નહી, સની લિયોને ગણપતિના ફોટો સાથે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેઓ એક ફ્રેન્ડને ત્યાં ગણપતિ દર્શન માટે ગયા હતા. આ પોસ્ટ પર સનીએ લખ્યું હતું કે, દોસ્તો સાથેની એક સુંદર સાંજ. અમારાં પહેલાં ફેમીલી દર્શન માટે આભાર.
હાલ તો સની લિયોન એની વેબ સીરીઝને લઈને ચર્ચામાં છે. આ વેબ સીરીઝ સનીના જીવન પર આધારિત છે. જેનું નામ ‘કરન જીત કૌર – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ છે. આ વેબ સીરીઝની બીજી સીઝન શરૂ થઇ છે.