Astrology : સૂર્યને ગ્રહોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય અત્યારે મેષ રાશિમાં ગોચર કરે છે. સૂર્યએ હવે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે, જેની કેટલીક રાશિના જાતકો માટે શુભ અસર જોવા મળશે.
મેષ રાશિ– આ રાશિના જાતકો માટે ઉત્તમ ગણાય છે. આત્મવિશ્વાસ ખૂબ જ રહેશે. કામને લઈને તમારી પ્રશંસા થશે, કોર્ટ કચેરીના મામલામાં જીત મેળવશો. નોકરી, વેપાર-ધંધામાં પ્રગતિ થાય.
વૃષભ રાશિ– આ રાશિના જાતકોને લાભ થવાની સંભાવના વધુ છે. કારકિર્દીમાં સફળતા મળે. નોકરીયાતોને બઢતી મળે. આવકમાં વૃદ્ધિ થાય. માન-સન્માન મળે.
મિથુન રાશિ– આ રાશિના જાતકોને કાર્યમાં પ્રગતિ થાય. વિદેશ યાત્રાનો યોગ બને. શિક્ષણ ક્ષેત્રે લાભ થાય. નોકરીમાં ફાયદો થાય.
સિંહ રાશિ– આ રાશિના જાતકોને રાશિ પરિવર્તન શુભ માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ સમાપ્ત થશે, માન-સન્માન મળશે. ધાર્મિક કામકાજમાં મન પરોવાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ– આ રાશિના જાતકોને આગામી 30 દિવસ ઘણા નવા અનુભવો થાય. અટકેલા પૈસા પાછા મળે. અટકેલા કામો પૂરા થાય. નવી તકન રાહ જોતા હોવ તો સમય સારો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: