સુરત.
23 July 2018.
આજ કાલ બાળકો દ્વારા એવા પગલાંઓ લઇ લેવાય છે જે આપને સપને પણ ના વિચારી શકીએ. આજના બાળકોને જરા પણ ખિજાવાથી તેઓ એવા પગલાં ભરી શકે છે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સુરતમાં એક દિલ દહેલાવતી ઘટના ઘટી ગઈ છે. દિવ્યેશ નામના છોકરાએ દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવ્યુ છે. આપને જણાવી કે આ ઘટના સીતારામ સોસાયટીમાં ઘટી છે.
ઈચ્છાપોર વિસ્તારમાં કવસ ગામની સીતારામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ પાંડેનો 11 વર્ષિય પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જેને સોમવારના રોજ સ્કૂલેથી આવીને માનસિક રીતે બીમાર મોટાભાઈથી ઝઘડીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
આપને જણાવી દઈએ કે સ્કૂલેથી આવીને તેને માનસિક રીતે બીમારભાઈની ગરદન પર બેસવાની જીદ કરી હતી. જેના કારણોસર તેની માતાએ તેને ખખડાવ્યો હતો. ગુસ્સામાં તેને પોતાને રૂમ અંદર બંધ કરી અને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
જયારે રૂમ અંદરથી ઘણા સમય સુધી અંદરથી કોઈ અવાજ ના આવતા, તેની બહેન અંકિતાએ ઘરની બીજી બારીએથી ઘરની અંદર જોયું ત્યારે તે અચંભિત થઇ ગઈ હતી. તેના ભાઈએ દુપટ્ટાથી પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો.
આ ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસે ઘટના સ્થળે જઈ અને વધુ તપાસ હાથ ધરી હતી.