Surat News : સુરત શહેરના એરપોર્ટને 11 ડિસેમ્બરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તથા એરપોર્ટ પર ચેકિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ આ ધમકી મળતાં જ સુરત શહેરના SOG, PCB, DCBએ તપાસ શરૂ કરી દીધી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રેલ્વે સ્ટેશન પર 2 વ્યક્તિઓ બોમ્બ અંગે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે પોલીસે આરોપીને ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે.સુરત શહેર અને સુરત ગ્રામ્યનું સંયુક્ત ઑપરેશન હેઠળ આરોપી સાબિર બસીરભાઈ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બારડોલીના સુરતીઝાંપા સ્થિત મદીના કોમ્પ્લેક્સનો રહેવાશી છે.
આ મામલે DCP મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “ધમકી મળતાં LCB તરત જ હરકતમાં આવી અને જે આરોપીએ ફોન કર્યો હતો, તેમને પૂછપરછ માટે પકડી લીધા હતા. તેમની પૂછપરછ ચાલુ છે. આ જ દરમિયાન એરપોર્ટ પર SOG, ક્રાઈમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને BDSની ટીમ બેઠક કર્યા બાદ આખા એરપોર્ટ પર ચેકિંગ કર્યું હતું. ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.”
આ પણ વાંચો: દિલ્હીનાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
આ પણ વાંચો: રાજસ્થાનની 100થી વધુ હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી, મેલમાં લખવામાં આવ્યું – તમામને મારી નાખવામાં આવશે
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
