સુરત
સુરતમાં કિન્નરોએ સ્થાનિકને માર માર્યાની ઘટના આવી છે. પુણા વિસ્તારમાં કિન્નરોએ સ્થાનિક લોકો પાસે પૈસા માંગ્યા હતા. પૈસા ન આપતા કિન્નર અને સ્થાનિક વચ્ચે બોલાચાલી થઇ હતી.
તેમ છતા સ્થાનિકે પૈસા ન આપતા કિન્નરોએ સ્થાનિક નાગરીકને મારમાર્યો હતો. આથી રોષે ભરાયેલા લોકો ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે કિન્નરો ગરીબ લોકો પાસે મોટી રકમ ઉઘરાવે છે અને ન આપતા લોકો સાથે બબાલ કરે છે.
થોડા સમય પહેલા સુરતમાં સોસિયો સર્કલ નજીક આવેલી યુનિક હોસ્પિટલની સામે જેનોન બિલ્ડીંગમાં નાનપુરા નાણાવટમાં રહેતા પીંકીકુંવર નામના કિન્નરની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી.
કિન્નરને ગળામાં અને છાતિના ભાગે ચારથી પાંચ વાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી.ઘટના સ્થળે અને પીએમ રૂમ બહાર કિન્નરોએ ભારે રોકકળ કરી મુકી હતી અને ન્યાયની માંગણી કરી હતી. હત્યાં બાદ લોકોના ટોળા એક્ઠાં થઈ ગયાં હતાં. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.