Surat/ પરિણીતાએ બિલ્ડર સસરાના ઘર સામે બાળકીઓ સાથે કર્યા ધરણાં   

પરિણીતાએ બિલ્ડર સસરાના ઘર સામે બાળકીઓ સાથે કર્યા ધરણાં   

Gujarat Surat Trending
rudrabhishek 3 પરિણીતાએ બિલ્ડર સસરાના ઘર સામે બાળકીઓ સાથે કર્યા ધરણાં   
  •  પુત્રને જન્મ નહિ આપતા પરિણીતાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હતી
  • સાસરીયામાંથી કાઢી મૂકાતા બાદ મહિલાએ સામાજિક સંગઠનોની મદદથી ધારણા કર્યા
  • મહિલાને ઘરમાં પ્રવેશ માટે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવ્યા

બેટી પઢાવો બેટી બચાવોના અભિયાનમાં લોકો મોટા પ્રમાણમાં જોડય છે.  પણ તેનો અમલ કોઈ નથી કરતું. અને આજના જમાનામાં બેટીને આજેપણ બોજ માનવામાં આવે છે.  તેવા અનેક કિસ્સા સામે અવારનવાર આવતા હોય છે.

ત્યારે સુરત વરાછા ખાતે એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માટે સામાજિક સંગઠનોની મદદથી ધરણા પર ઉતરી છે. પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બન્ને દીકરીઓને લઈને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે, બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ.

21મી સદીમાં દીકરા-દીકરીઓ એક સમાન છે ત્યારે આજે પણ કેટલા સમાજમાં દીકરી કરતા દીકરાને મહત્વ અપાય છે અને જે મહિલા દીકરીને જન્મ આપે છે અને દીકરાને નથી આપતા તેવી મહિલાને પતિ અથવા તો સાસરીવાળા ઘરમાંથી કાઢી મુકવાની એક ઘટના સમયે આવે છે ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.

સુરત વરાછા રોડ પર બિલ્ડર તરીકે કામ કરતા વિપુલભાઈ સવાણી લગ્ન 13 વર્ષ પહેલા સોનલ બહેન સાથે થયા હતા તેઓ લગ્ન બાદ વડોદરા રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ થઈ પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાને કારણે 29-6-2019 ના રોજ રાત્રે 10:30 વાગે તેમના પતિ તેમને વરાછા બહેનના ઘર નજીક રસ્તા પર છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ હું થોડા દિવસ બહેનને ત્યાં અને ત્યારબાદ 6 મહિના પિયર પિતાને ત્યાં રહી હતી.પતિને વારંવાર વિનંતી બાદ પણ તેઓ સ્વિકારવાની ના પાડતા હોવાનું કહેતા મહિલા એ  આખરે તેઓ વડોદરા દીકરીઓ સાથે જતા રહ્યાં હતા. જ્યાં તેમને ઘરમાં પ્રવેશ પણ કરવા ન દેવાયો હતો. જોકે પોલીસ રક્ષણ માગતા મને ઘરમાં પ્રવેશ મળ્યો હતો. જેને લઈ થોડા સમય બાદ પતિ,સાસુ મારી નાની દીકરીને લઈ સુરત તેમના જૂના મકાને રહેવા આવી ગયા હતાં. વડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. છેલ્લા 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ ઠોકરો ખાઈ મહિલા ને ,બે  દીકરીઓનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડી રરહ્યું હતું.

જોકે મહિલા આ બંને બાળકીને માતા-પિતા બન્નેનો પ્રેમ આપતી હતી  જોકે આર્થિક મુશ્કેલી સામનો કરતી મહિલા એ આખરે  8 જાન્યુઆરી 2021ના રોજ સાસરે વરાછા સ્વેત રાજહંસ સ્થિત રહેવા આવી હતી. પણ મારા સસરાએ દરવાજો ન ખોલ્યો અને ભારે હોબાળો કરી કોર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવ્યા હતાં.જેથી મહિલાએ  ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ન્યાય મેળવવા નક્કી કર્યું હતું.

આખરે હ્યુમન રાઈટ એસોસિએશન સહિત અનેક મહિલા સંગઠનોએ સાથ માંગતા મને મદદ કરી. મેં કોર્ટના દ્વાર ખખડાવી ઘર પ્રવેશ માટે આપેલા મનાઈ હુકમને રદ કરવા અપીલ કરી છે. જેની આગામી 19મી એ કોર્ટમાં સુનાવણી છે. માત્ર પુત્ર પ્રાપ્તિ ન થતા એક પત્નીને બે દીકરીઓ સાથે રઝળતા મૂકી દેવા કેટલું યોગ્ય છે. મોદી સરકારમાં દીકરીઓ બચાવો અને દીકરી પઢાવો અભ્યાન જોરશોરમાં ચાલી રહ્યુ છે જેની વાસ્તવિતા કંઈક અલગ જ  ઉદાહરણ  જોવા મળી રહી છે. ત્યારે  ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે પર બેસવાનો નિર્ણય કર્યો હતો અને આજે સાસરિયાના ઘર બહાર પોતાની બે દીકરી સાથે બેનર લઈને ધરણા પર બેસી ગઈ હતી સાસરિયાના ઘર બહાર ધરણા પર બેસી ન્યાયની અપીલ કરી રહી છું. કોર્ટના દ્વાર પણ ખખડાવ્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ