બનાસકાંઠા જીલ્લામાં પણ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જ જોવામા આવી રહ્યો છે. ત્યારે ડીસા સોનીબજારમાં વધતી કોરોના શ્રુંખલાથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, ડીસા સોનીબજારમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ થી ડીસા આવેલ નીતાબેન દૈયા દ્વારા કોરોના સંક્રમણની શ્રુંખલાનું ડિસામાં નિર્માણ થયુ હતું. દૈયા પરિવારમાં નીતાબેન,પુત્ર જય, પુત્રવધુ ઉર્વશીબેન તેમજ તેના પતિ નરેશભાઈ સહિતનાં ચાર લોકોનાં કોરોના પોઝિટીવ આવ્યા હોવાથી ચિંતાનો માહોલ સર્જાયો છે. આ સાથે જ જિલ્લામાં એક દિવસમાં 9 કેસ નોંધવામાં આવતા જિલ્લામાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 51 થઇ ગઇ છે. કોરોના સંપર્કથી વધે છે અને તેના કારણે જ ડીસા સોનીબજારમાં વધતી કોરોના શ્રુંખલા થી સામાન્ય માણસોની સાથે સાથે તંત્રમાં પણ ભયનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન