સુરત,
શિક્ષણએ વિદ્યાર્થીના જીવનનું એક મહત્વનું પાસું છે જેના કારણે તે આગળ વધી સમાજ માટે કંઈક કરી બતાવવાની ઈચ્છાઓ રાખે છે. એવામાં સુરતની વેસુ વિસ્તારમાં આવેલી એક શાળાથી તના સંચાલકોની દાદાગીરીનો એક કેસ બહાર આવ્યો છે. સુરતની એસ. ડી. જૈન નામની શાળાનાં સંચાલકોએ અગિયાર જેટલા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા છે.
જેની પ્રતિક્રિયાએ વાલીઓ એકત્રિત થઇ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ધારણા કર્યા છે. શાળા દ્વારા કરવામાં આવેલું વર્તન વાલીઓને અનૈતિક લાગ્યું હતું.
આ ઘટનાનાં કારણે વિદ્યાર્થીઓના વાલીઓમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે. જયારે સ્કુલના સંચાલન તરફથી જાણવા મળ્યું છે કે વાલીઓ દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનના કારણે વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા છે.
વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તેમને ન્યાય ન મળે ત્યાં સુધી આ બાબતે લડત લડશે અને તંત્ર સામે પોતાનો અવાજ ઉઠાવશે.