આકાશ પક્ષીઓ માટે ઉડવા માટે છે. જો કે આજના યુગમાં જ્યાં માણસોએ પ્રાણીઓને જમીન પર રહેવામાં મુશ્કેલી ઉભી કરી છે, તે જ રીતે પક્ષીઓ માટે પણ આકાશમાં ઉડવું મુશ્કેલ બન્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેના કારણે અનેક પક્ષીપ્રેમીઓ રોષે ભરાયા છે.
સુરતમાં એલિવેશન ગ્લાસ બિલ્ડીંગમાં સ્ટર્લિંગ બર્ડ્સના સામૂહિક રીતે અથડાયા હતા. અને મૃત્યુ પામ્યા હતા. જેને લઈ સુરતમાં ખળભળાટ મચી ગયો છે. એલિવેશન કાચ સાથે અથડાવાને કારણે તમામ પક્ષીઓના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં રોઝી સ્ટર્લિંગ પક્ષીઓ હિમાલયમાંથી આવે છે.
કાચના કલરને લઈ પક્ષીઓને આકાશ છે એવો ભ્રમ થયો હતો. અને બધા પક્ષીઓ તેને આકાશ સમજી તેની તરફ ઉડવા લાગ્યા. આવી સ્થિતિમાં બિલ્ડીંગ સાથે અથડાવાને કારણે તમામના મોત થયા હતા. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ તમામ પક્ષીઓ આકાશમાં એક ટોળામાં સાથે ઉડવા માટે પ્રખ્યાત છે અને આકાશમાં અનેક કરતબો પણ બતાવે છે. જો કે હાલ સુરતમાં આટલા પક્ષીઓના મોતની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.
પ્રવાસ / PM નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત, ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન
World / 6 મહિનાના તાલિબાન શાસન બાદ મહિલાઓ અને બાળકોની હાલત બગડી, સર્વત્ર ભૂખ અને લાચારીઃ UN રિપોર્ટ
Business / ખાદ્યતેલોના ભાવ ઘટાડવા માટે કેન્દ્રએ નક્કી કરી સ્ટોક લિમિટ, વધુ સ્ટોર કરવા પર થશે કાર્યવાહી