કહેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે ..અંહી આ ઉક્તિ 100 ટકા સાચી પડી છે. બરવાડા પાસે એક ખાનગી બસને અકસ્માત થયો છે અને બસ આખી પલટી ખાઈ ગયી છે. પરંતુ બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધંધુકાના બરવાળા રોડ પર આવેલા ફેદરા ગામ પાસે અકસ્માત અરજયો છે. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જયારે બસમાં સવાર 40 વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
સુરતથી અમરેલી જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
https://www.youtube.com/watch?v=bXelw-g89wE
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.