Mahisagar News : મહિસાગરની બાલાસિનોર જીઆઈડીસીમાં ખાણ અને ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. આ જીઆડીસીમાં કેટલીક ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર હોવાની માહિતી મળતા ખાણ અને ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી.
જેમાં અહીંની બે ફેક્ટરીમાંથી રોયલ્ટી વગરના પથ્થર મળી આવ્યા હતા. જેને કારણે આ બન્ને ફેક્ટરી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ ફટકારાવામાં આવ્યો હતો. જ્યારે સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકારવામાં આવ્યો હતો.છેલ્લા એક મહિનામાં રોયલ્ટીની આવકમાં 3 કરોડનો વધારો થયો હતો.અધિકારી બદલાતા મહિને 3 કરોડ આવક વધી હોવાનું કહેવાય છે. આમ ભૂમાફિયા અને અધિકારીઓની મિલિભગતને કારણે કરોડોનું નુકશાન થયું હતું.
ઉપરાંત સરકારને વર્ષે 36 કરોડની નુકસાની થઈ હોવાની લોકોમા ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો
આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ