હિન્દૂ-મુસ્લિમ એકતાનુ પ્રતિક/ સુરવો-મહીપતિ ગણેશ, હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ઉતારી આરતી

વડીયા શહેરમા  સુરવો નદીના કિનારે સુરવો મહીપતિ ગણેશના સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થાપન 10 થી 15 વર્ષના નાના બાળકો એ ઉત્સાહભેર ફાળો કરીને કર્યું છે

Gujarat
vadiya સુરવો-મહીપતિ ગણેશ, હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ઉતારી આરતી

વડિયા શહેરમાં સુરવો મહીપતિ ગણેશ સ્થાપનમાં હિન્દૂ-મુસ્લિમની એકતાનું પ્રતીક જોવા મળ્યું. 10 થી 15 વર્ષના બાળકોએ નદી કિનારે કરેલા ગણેશજીના સ્થાપનને સુરવો મહીપતિ નામ આપ્યું છે. અને એ ગણેશજીના પંડાલે હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ગણેશજીની આરતી ઉતારીને એકતાનું પ્રતીક દાખવ્યું છે.

v2 1 સુરવો-મહીપતિ ગણેશ, હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ઉતારી આરતી

અમરેલી જિલ્લાનું છેવાડાનુ તાલુકા મથકનું ગામ વડીયા શહેર આ વડીયા શહેરની અંદર હર એક તહેવારોમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક જોવા મળે છે. ત્યારે આ વડીયા શહેરમા  સુરવો નદીના કિનારે સુરવો મહીપતિ ગણેશના સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થાપન 10 થી 15 વર્ષના નાના બાળકો એ ઉત્સાહભેર ફાળો કરીને કર્યું છે. ત્યારે આજે ગામના આગેવાનો અને યુવાઓ અને કાર્યકર્તાઓએ પણ આ બાળકોને પ્રોત્સાહન આપ્યું છે.

આ બાળકોએ પોતાના ઉત્સાહભેર ગણેશ સ્થાપના આગલા દસ દિવસ પહેલા બાળકોએ ફાળો કરી અને ૧૪ થી ૧૫ હજારની ગણેશજીની મૂર્તિની ખરીદી કરી અને અહીં સ્થાપના કરી. તદુપરાંત આજે આ બાળકોએ ગણેશના પંડાલમાં જે લોકોએ ફાળો આપ્યો છે એ ફાળાનો પણ સદુપયોગ કર્યો છે. આ બાળકોએ વડીયા શહેરની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો માટે આજે બટુક ભોજન નું આયોજન કર્યું અને વડીયા ની આજે તમામ પ્રાથમિક શાળાઓના 1000 થી 1500 ની આસપાસ બાળકોએ બટુક ભોજનનો લાવો લીધો હતો..

v1 સુરવો-મહીપતિ ગણેશ, હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ઉતારી આરતી

મહત્વની વાત એ છે કે આ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારની હવેલી શેરીના બાળકો કોઈ જ ભેદભાવ નથી જોતા જેમની ઉંમર માત્ર ૧૦ થી ૧૫ વર્ષની છે અને આ હિન્દુ મુસ્લિમ ના 15 થી 20 બાળકો એકી સાથે ફાળો કરીને આ ગણેશ સ્થાપના કરી અને વડીયા શહેરની અંદર ગામના જે મુખ્ય આગેવાનો છે એ લોકોની પણ આંખો ચાર કરી દીધી હતી. અને આ નાના બાળકોને ગામના આગેવાનો પ્રોત્સાહન આપવા પણ દોડી આવ્યા હતા ત્યારે એ જ સુરવોનદીના કિનારે સુરવો મહીપતિ ગણેશ સ્થાપના પંડાલમાં આજે ગામના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો આવીને બાળકોને મદદરૂપ થયા અને ગણેશ દાદા ની આરતી કરી હતી

વડીયા શહેરની અંદર જોકે નવરાત્રી હોય જન્માષ્ટમી હોય ગણેશોત્સવ હોય કે મહોરમ હોઈ અહીં તમામ તહેવારોમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો એકી સાથે તહેવારો ઉજવતા જોવા મળી રહ્યા છે.

હીરાનો વરસાદ / બ્રહ્માંડમાં થઈ રહી છે હીરાની વર્ષા, શું છે રહસ્ય ?