Not Set/ સગીર પ્રેમીકા પર શંકા રાખી ગળુ દબાવી મોતનો ઘાટ ઉતારી, તળાવમાં લાશ ફેંકી પહોંચ્યો પોલીસ સ્ટેશન

ગાંધીનગરનાં અડાલજમાં પ્રેમપ્રકરણમાં યુવકે સગીરાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનુ છે કે યુવકે સગીરાનું ગળુ દબાવી હત્યા કર્યા પછી તેને તળાવમાં ફેંકી દીધી હતી

Ahmedabad Gujarat
પ્રેમી સગીર પ્રેમીકા પર શંકા રાખી ગળુ દબાવી મોતનો ઘાટ ઉતારી, તળાવમાં લાશ ફેંકી પહોંચ્યો પોલીસ સ્ટેશન

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ગાંધીનગરનાં અડાલજમાં પ્રેમપ્રકરણમાં યુવકે સગીરાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનુ છે કે યુવકે સગીરાનું ગળુ દબાવી હત્યા કર્યા પછી તેને તળાવમાં ફેંકી દીધી હતી અને જે બાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારની અર્જુન આર્ટ જ્વેલર્સ નામની દાગીના બનાવતી ફેક્ટરીમાં રહેતા અને ત્યાં જ કામ કરતા પ્રવીણ મારવાડી નામના યુવકને ફેક્ટરીની નજીકમાં રહેતી એક સગીર યુવતી સાથે છેલ્લાં દોઢ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે છેલ્લા 2 મહિનાથી સગીર યુવતીએ આ યુવક સાથે સંબંધોનો અંત આણ્યો હતો પરંતુ પ્રેમીને તે મંજૂર ન હોવાથી તેની હત્યા કરી છે.

WhatsApp Image 2021 04 01 at 7.00.58 PM સગીર પ્રેમીકા પર શંકા રાખી ગળુ દબાવી મોતનો ઘાટ ઉતારી, તળાવમાં લાશ ફેંકી પહોંચ્યો પોલીસ સ્ટેશન

બુધવારે સાંજના સમયે પ્રવીણ મારવાડીએ તેની પ્રેમીકાને સમાધાન કરવાના બહાને અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલની પાસે આવેલા ડાહોર તળાવે બોલાવી હતી. જે સમયે યુવક અને તેની પ્રેમીકાની પ્રેમસંબંધ મામલે બોલાચાલી થતા પ્રેમીએ પ્રેમીકા અન્ય કોઈ યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકાનાં આધારે સગીરાનુ ગળુ દબાવી તેને તળાવમાં ફેંકી મોતને ઘાટ ઉતારી દિધી હતી..જે બાદ યુવક સીધો અડાલજ પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને સગીરાની હત્યા પોતે કરી હોવાની જાણ પોલીસને કરી હતી..

પોલીસે ફાયર વિભાગની મદદથી સગીરાનાં મૃતદેહને બહાર કાઢીને યુવકની ધરપકડ કરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે યુવક સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો અને સગીરાએ તેની સાથે સંબંધ ન રાખતા તેણે ગુસ્સામાં સગીરાની હત્યા કરી. પોલીસે હાલતો આ મામલે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.