- જિલ્લા શિક્ષણાધિકારીનો વિવાદિત પરિપત્ર
- વેલેન્ટાઇન ડેના દિવસે માતાપિતાની પૂજા કરવા આદેશ
- શિક્ષણ સમિતિ અને શાળાઓને પરિપત્ર મોકલી અપાયો
વેલેન્ટાઇન ડેને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતના જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર સુરતના જિલ્લા શિક્ષણાધિકારી જણાવવામાં આવ્યું છે કે, આગામી 14 ફેબ્રુઆરી અને શુક્રવારે આવી રહેલા વેલેનેટાઇન ડેનાં દિવસે માતા-પિતા પૂજન તરીકે ઉજવવો. પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીએ આવુ કરવાનો આદેશ કર્યો છે.
આ પરિપત્ર જીલ્લાની તમામ શિક્ષણસમિતિ અને શાળાઓને મોકલી અપાયો છે. દરેક શાળાનાં આચાર્યએ વેલેન્ટાઈન ડે ની માતપિતા દિવસ તરીકે ઉજવણી કરી તેના ફોટોગ્રાફ્સ DEO કચેરીમાં મોકલીનો પણ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા હોવાની સાથે આદેશ કરાયો છે
માતા-પિતાની વંદના ભારતીય પરંપરા છે અને સારી વાત પણ છે, પરંતુ કોઇ ચોક્કસ દિવસને લઇને સરકારી અધિકારી દ્વારા પાડવામાં આવા ફતવા કેટલા અંશે વ્યાજબી છે. અને તે પણ શિક્ષણનાં મંદિર માટે. જિલ્લા શિક્ષણાધિકારીના ફતવારુપી પરિપત્રથી સમગ્ર શિક્ષણ જગત અને છેક ગાંઘીનગર સુધી ચકચાર મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.