સુરેન્દ્વનગર/ શિક્ષક દિને મૈત્રી વિદ્યાલય ખાતે યોજાયો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

મંત્રી બાવળિયાએ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પહેલા તેમણે શિક્ષક તરિકે કરેલ કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, શિક્ષક તરિકે કરેલ સંનિષ્ઠ કાર્યના પરિણામે

Gujarat Others
Untitled 53 શિક્ષક દિને મૈત્રી વિદ્યાલય ખાતે યોજાયો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર સ્થિત મૈત્રી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ પારિતોષિક પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો.

શિક્ષક દિને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતુ કે, બાળકોમાં સુ-સંસ્કારનું સિંચન થકી તેમનામાં સામાજીક ભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવનાનું નિર્માણ કરવાની કપરી જવાબદારી શિક્ષકો બખૂબી નિભાવી રહયાં છે. શિક્ષણના કાર્યમાં મૂલ્યવર્ધનની સાથે શાળામાં આવતાં બાળકોને વધુ સારૂં ગુણાત્મક શિક્ષણ મળી રહે તે માટે શાળાકિય શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓમાં સત્રાંત – વાર્ષિક પરિક્ષાઓ, તાસ પધ્ધતિ અને વિષયવાર શિક્ષક પધ્ધતિ સહિતના અનેકવિધ પગલાઓ રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.

મંત્રી એ બાળકોના ચારિત્ર્ય ઘડતરની કપરી કામગીરી નિભાવી રહેલા શિક્ષકોની કામગીરીને બિરદાવતાં ઉમેર્યું હતુ કે, જે રીતે કુંભાર માટીના પીંડને મસળીને તેમાંથી સુંદર શિલ્પ – કૃતિનું સર્જન કરે છે, તેવી જ રીતે શિક્ષકો પણ શાળામાં આવતાં બાળકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે તેમનામાં સંસ્કારિતતાના બીજનું આરોપણ કરવાનું બહુમૂલ્ય કાર્ય કરી રહયાં છે. શિક્ષકોના આ શ્રેષ્ઠતમ કાર્યને બિરદાવવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ શિક્ષક દિને રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.

મંત્રી બાવળિયાએ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પહેલા તેમણે શિક્ષક તરિકે કરેલ કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, શિક્ષક તરિકે કરેલ સંનિષ્ઠ કાર્યના પરિણામે જ આજે હું આ સ્થાને પહોંચી શક્યો છું. તેમણે આ તકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિએ યોજાયેલ શિક્ષકોના સન્માનના આ કાર્યમાં સહભાગી થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ૩ શિક્ષકોને તેમજ તાલુકા કક્ષાના ૧ શિક્ષકને શાલ ઓઢાડીને, પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર અર્પણ કરી શ્રેષ્ઠ શિક્ષક તરિકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી બારડે અને અંતમાં આભાર વિધી મૈત્રી વિદ્યાપીઠના મંત્રી જયશ્રીબેન દેસાઈએ કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ ધનજીભાઇ પટેલ, નૌશાદભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર – દૂધરેજ – વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, અગ્રણીઓ સર્વ જગદીશ મકવાણા, વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવો, અધિકારી – પદાધિકારીઓ, શિક્ષકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા