Surat News : સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઉત્તરાયણની મજા દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ છે. જય રાધે સોસાયટીમાં પતંગ ચગાવતી વખતે અચાનક ધાબા પરથી પટકાતા 14 વર્ષીય સગીરાનું મોત (Dies)નીપજ્યું છે.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી
મળતી માહિતી મુજબ, કિશોરી ધાબા પર પતંગ ચગાવી રહી હતી તે દરમિયાન સંતુલન બગડતાં નીચે પટકાઈ હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત (Dies)જાહેર કરી હતી.

આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોત (Dies)નો ગુનો નોંધી વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
