પંજાબમાં ફરીથી આતંકવાદ બેઠો થઈ રહેવાનો સંકેતો મળ્યા છે. પંજાબના તરનતારન જિલ્લામાં રોકેટ લોન્ચર વડે આખુ પોલીસ સ્ટેશન જ ઉડાવી દેવાનો પ્રયાસ થયો છે. તરનતારન જિલ્લામાં અમૃતસર-ભટિંડા હાઇવે પર સરહાલી પોલીસ સ્ટેશન પર શનિવારે વહેલી સવારે રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. સદનસીબે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ હુમલાથી પોલીસ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે.
તરનતારન પોલીસે પણ આ હુમલાને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ હુમલો લગભગ મધરાત્રિએ એક વાગે થયો હતો. રોકેટ રાત્રે એક વાગે ગેટ સાથે અથડાયુ હતુ. તેના લીધે બિલ્ડિંગને નજીવું નુકસાન થયુ તુ. આ હુમલો તરનતારનમાં સાંજ સેન્ટર બિલ્ડિંગ (સરહાલી પોલીસ સ્ટેશન) પર થયો હતો. મોડી રાત્રે કેન્દ્રમાં સ્ટાફની નહીવત હાજરી હોવાના લીધે હુમલાની ખાસ અસર થઈ ન હતી. આ હુમલો દિવસે થયો હોત તો જાનહાનિનો પણ ભય હતો.
આ હુમલા પાછળ ખાલિસ્તાન તરફી આતંકવાદીઓનો સીધો હાથ હોવાનું કહેવાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના ઇશારે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદને બેઠો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે પંજાબમાં સક્રિય સ્લિપર સેલ દ્વારા આ હુમલો કરાયો છે.
આ હુમલો આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિંદાના મૂળ ગામમાં કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા રિંદાના મોતની માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે રિંદા જીવિત છે.
આ પણ વાંચોઃ