જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર વિદેશી મજૂરોને નિશાન બનાવ્યા છે. શનિવારે આતંકવાદીઓએ અનંતનાગમાં પરપ્રાંતના મજૂરો પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા.
#Terrorists fired upon & injured two outside labourers in Rakh-Momin area of #Anantnag. Both the injured are being shifted to hospital for treatment. Area being #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 12, 2022
પોલીસે જણાવ્યું કે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિસ્તારમાં શોધખોળ ચાલુ છે. ઘાયલ લોકોની ઓળખ છોટા પ્રસાદ અને ગોવિંદ તરીકે થઈ છે જે યુપીના ગોરખપુરના રહેવાસી છે. આ લોકોને સારવાર માટે SDH બિજબેહરામાં રિફર કરવામાં આવ્યા હતા. બંને સ્થિર છે.