CRPF (Central Reserve Police Force) ના જવાને IB (Intelligence Bureau)ના ડાયરેક્ટરના ઘરે આત્મહત્યા કરી લીધી. 53 વર્ષીય મૃતક સબ ઈન્સ્પેક્ટર રાજબીર કુમાર દિલ્હીના તુગલક રોડ વિસ્તારમાં IB ડિરેક્ટરના ઘરે સુરક્ષા માટે તૈનાત હતા.
CRPF જવાને પોતાને મારી ગોળી
આ ઘટના શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. રાજબીર કુમારે પોતાની સર્વિસ રાઈફલ (AK-47) વડે બે વાર ગોળી મારી, તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. રાજબીર છેલ્લા કેટલાક દિવસોથી રજા પર હતા. શુક્રવારે તેઓ ફરજ પર પરત ફર્યા હતા. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.
પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજબીર કુમાર IB ડાયરેક્ટરના ઘરે ગાર્ડ પોસ્ટ પર તૈનાત હતા. શનિવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: પૃથ્વી સિવાય આ ગ્રહ પર પણ રહી શકશે લોકો, જાણો શું-શું છે સુવિધાઓ
આ પણ વાંચો:સપના ચૌધરીએ દહેજમાં માંગી ક્રેટા કાર, ઉત્પીડનનો નોંધાયો કેસ
આ પણ વાંચો:પાકિસ્તાનનું ‘ઓઈલ’ પૂરું, ઇન્ડસ્ટ્રી પડી ભાંગવાની ચેતવણી
આ પણ વાંચો: ત્રણ મહિનાની બાળકીને 51 વાર ગરમ સળિયાથી આપ્યા ડામ, માસૂમનું થયું મોત