Not Set/ લીંબડી હાઈવે પર ABMN ટીમે 500 વાહનોને રેડીયમ રીફ્લેકટર લગાવ્યાં

લીંબડી અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ટીમે લીંબડી શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉનનાં સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઘરે ઘરે જઈ ભોજનની વ્યવસ્થા કરી આપી હતી.

Gujarat Others
1 246 લીંબડી હાઈવે પર ABMN ટીમે 500 વાહનોને રેડીયમ રીફ્લેકટર લગાવ્યાં

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ટીમે લીંબડી શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉનનાં સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઘરે ઘરે જઈ ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. સાથે-સાથે લીંબડી સિવિલ હોસ્પિટલનાં કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નાળિયરનું પાણી, કોરોનાની સારવાર કરતા ડૉક્ટરો અને સ્ટાફને ચા-પાણીની વ્યવસ્થા સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આગળ રહી છે.

1 248 લીંબડી હાઈવે પર ABMN ટીમે 500 વાહનોને રેડીયમ રીફ્લેકટર લગાવ્યાં

શું આ છે વિકાસ?: થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા

આપને જણાવી દઇએ કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતો માટે પંકાયેલો છે. તેમાં પણ લીંબડી-બગોદરા હાઈવે અકસ્માત ઝોન તરીકે પ્રચલિત બની ગયો છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિનાં સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર સહિતની લીંબડી ABMN ટીમ દ્વારા અકસ્માતો નિવારવા લીંબડી નેશનલ હાઈવે પર પસાર થતા નાના મોટા 500થી વધુ વાહનોની આગળ પાછળ રેડીયમ રીફ્લેકટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના જીલ્લા મહામંત્રી ડી.યુ.પરમાર, સૌરાષ્ટ્ર સચિવ નઝીર સોલંકી, જીલ્લા મહામંત્રી સચિન પીઠવા, નટુભા ઝાલા, શહેર પ્રમુખ નંદકિશોર ચૌહાણ, યુવરાજ સોલંકી, એરીક સમા, જસવંતસિંહ મોરી, એન.કે.રાણા, દક્ષાબેન વાઘેલા સહિતની સભ્યો હાજર રહ્યા હતા.

kalmukho str 5 લીંબડી હાઈવે પર ABMN ટીમે 500 વાહનોને રેડીયમ રીફ્લેકટર લગાવ્યાં