Ahmedabad News : થોડા સમયથી ખાણીપીણીની ચીજોમાંથી માખી મચ્છર અને અન્ય જીવાત નીકળવાના બનાવો નું પ્રમાણ વધ્યું છે. જેમાં અમદાવાદના જાણીતા દાસ ખમણમાંથી મધમાખી નીકળતા ચકચાર જાગી છે.
નવરંગપુરામાં આવેલી દાસ ખમણની દુકાનમાં આ ઘટના બની હતી.
જેમાં ખમણમાંથી મધમાખી નીકળી હતી. અગાઉ પણ વિવિધ દુકાનોમાં મળતી ખાણીપીણીમાંથી માખી મચ્છર કે અન્ય જીવત નીકળવાના બનાવો બન્યા છે.
અગાઉ કાંકરીયામાં ઢોંસામાંથી પથ્થર નીકળવાનો બનાવ બન્યો હતો.
તે સિવાય વસ્ત્રાપુરમાં ડોમીનોઝ પિત્ઝામાંથી જીવાત નીકળવાનો બનાવ બન્યો હતો. આમ અવારનવારખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી આ પ્રકારની જીવાત નીકળતા લોકોના સ્વાસ્થય સાથે મોટુ જોખમ ઉભુ થાય છે. છત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવતી દુકાનો સામે કોઈ પગલા લેવાતા નથી.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ