ગાંધીનગર/ રાજ્યમાં ફાયર સેફ્ટીના NOC માટે સરકારે લીધો મોટો નિર્ણય,જાણો કયો ?

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  રાજ્યમાં ફાયર સેફ્ટી ના NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. જેમાં  9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહી. રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી નહોવાથી  બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં […]

Gujarat Others
Untitled 50 રાજ્યમાં ફાયર સેફ્ટીના NOC માટે સરકારે લીધો મોટો નિર્ણય,જાણો કયો ?

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  રાજ્યમાં ફાયર સેફ્ટી ના NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. જેમાં  9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહી.

રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી નહોવાથી  બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. એટલે  જો   મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ.  ન મળવાને કારણે પણ આવું થઈ શકે .

 આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા  નિયામક અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.

રાજ્યમાં અગ્નિશમન સેવાઓનો વ્યાપ વધે અને નાગરિકોને કામકાજમાં સરળતા મળી રહે તે હેતુસર એક વધુ ફાયર રિજિયનનો ઉમેરો કરવાનો પણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ 6 ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશે.