દેશમાં કોરોનાનો વધતો જતો કહેર એ કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે સરકાર કોરોનાને નાથવા માટે સરકાર સૌપ્રથમ રસીકરણ વધારવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે. આજે વડાપ્રધાન મોદીની અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં રસીકરણ અને વ્યાપક બનાવવા માટેનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. તેની વચ્ચે સરકારે કોરોનાની રસી માટે કોવિશિલ્ડને મસમોટો ઓર્ડર આપ્યો હોવાની ખબર પ્રાપ્ત થઇ રહી છે. તે જોતા નજીકના ભવિષ્યમાં દેશ કોરોના પર કાબુ મેળવી લેશે તેવી આશા સેવવામાં આવી રહી છે.
ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 ના રસીકરણ માટે કોવિશિલ્ડના 10 કરોડ ડોઝનો કેન્દ્ર સરકારે ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’ (SII) ને નવો ઓર્ડર આપ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રસીના દરેક ડોઝની કિંમત 157.50 રૂપિયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી જાહેર ક્ષેત્રના ઉપક્રમ એચએલએલ લાઇફકેર લિમિટેડે આ આદેશ 12 માર્ચે આપ્યો છે. આ હુકમ પુનાના SII ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશકુમાર સિંઘને આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા, બજેટમાં રસી માટે ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ 10 કરોડ રસી ખરીદવા માટે કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…