નિધન/ આદિત્ય સિંહના ઘરેથી મળી આવી દવાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે..

ફેમસ એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું 22 મે, સોમવારે નિધન થયું છે. તેમના આકસ્મિક મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ હોવાનું સામે આવી રહ્યું છે, જો કે આ દાવાઓ વચ્ચે આદિત્ય સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ  સામે આવ્યો છે.

Trending Entertainment
આદિત્ય સિંહ રાજપૂત

સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું સોમવારે તેના ઘરે શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું.  તેના એક મિત્ર દ્વારા જાણ થઇ હતી કે તે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આદિત્યના આકસ્મિક અવસાનથી તેના પરિવાર, મિત્રો અને ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. તે જ સમયે, પોલીસ આદિત્યના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આદિત્યનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અત્યારે સામે આવ્યો છે.

આદિત્ય સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ 

ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસને ટાંકીને કહ્યું કે, “આદિત્ય સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ મંગળવારે કરવામાં આવ્યું હતું. ડોક્ટરે મૃત્યુના કારણ અંગેનો રિપોર્ટ રીઝર્વ રાખ્યો છે. આદિત્યના વિસેરાના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે તેના ઘરેથી કેટલીક દવાઓ જપ્ત કરી હતી, જેને પોલીસે કબજે કરી લીધી છે. તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ગઈકાલે (મંગળવારે) ઓશિવારા સ્મશાનભૂમિ ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

aditya(6) આદિત્ય સિંહના ઘરેથી મળી આવી દવાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે..

મૃત્યુ પહેલા માતા સાથે કરી હતી વાત 

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલ એક પોસ્ટ શેર કરી છે. આદિત્યના મૃત્યુનું કારણ ડ્રગ ઓવરડોઝ હોવાનું કહેવાય છે, જે તેની માતાએ નકારી કાઢ્યું હતું. વિરલ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, આદિત્યએ તેના મૃત્યુ પહેલા તેની માતા સાથે વાત કરી હતી. સોમવારે બપોરે લગભગ 2.15 વાગ્યે તેની માતાએ તેને ફોન કર્યો હતો. આ પછી 2.25 વાગ્યે આદિત્યએ તેને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને આ તેની છેલ્લી વાત હતી.

aditya%20postmortem આદિત્ય સિંહના ઘરેથી મળી આવી દવાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે..

જણાવી દઈએ કે આદિત્યના પિતા દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ હતા. તેમનું 11 વર્ષ પહેલા અવસાન થયું હતું. મંગળવારે મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં આદિત્યના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેની એક બહેન યુએસમાં રહે છે, જે આજે ભારત પહોંચશે.

આ ફિલ્મોમાં કર્યું છે કામ 

આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેને એક અભિનેતા તરીકે તેની કારકિર્દી શરૂ કરી. આદિત્યએ ‘ક્રાંતિવીર’ અને  ‘મૈંને ગાંધી કો ક્યૂં મારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આદિત્યને ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ શોમાં કામ કરીને ઓળખ મળી હતી. આ સાથે તેણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો:ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત

આ પણ વાંચો:થોર અભિનેતા નું અવસાન, 2 દિવસ પછી હતો જન્મદિવસ, RRRના દિગ્દર્શકે કર્યો શોક વ્યક્ત

આ પણ વાંચો: ‘દહાડ’ એક્ટરે રૂમર્ડ કપલના અફેર પર કહી આટલી મોટી વાત

આ પણ વાંચો: બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર, 29 વર્ષની પ્રખ્યાત બંગાળી અભિનેત્રીનું માર્ગ