Cricket/ સારી શરૂઆત બાદ પણ ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 329 પર ઓલ આઉટ

ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે. જો કે ભારતનો અણનમ બેટ્સમેન ઋષભ પંત અંત સુધી અણનમ રહ્યો હતો

Sports
PICTURE 4 207 સારી શરૂઆત બાદ પણ ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 329 પર ઓલ આઉટ

ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે. જો કે ભારતનો અણનમ બેટ્સમેન ઋષભ પંત અંત સુધી અણનમ રહ્યો હતો, જ્યારે બીજા છેડેથી વિકેટો સતત પડી રહી હતી. આજે સવારે અક્ષર પટેલ પ્રથમ બેટ્સમેન રહ્યો જે આઉટ થયો હતો, તેના આઉટ થયા બાદ ઈશાંત શર્મા મેદાનમાં ઉતર્યો હતો. જો કે તે પણ કોઇ ખાસ કમાલ કરી શક્યો નહતો.

ત્યાર બાદ કુલદીપ યાદવ રન બનાવ્યા વિના ઋષભનો સાથ આપવાનો નિર્ણય કર્યો. જેમા થોડા સમય સુધી તે સફળ પણ રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ તે આઉટ થઇ ગયો હતો. જે બાદ મોહમ્મદ સિરાઝે આવતા જ એક ચોક્કો ફટકાર્યો હતો, પરંતુ તે પછી આઉટ થયો હતો. આ સાથે ભારતની પ્રથમ ઇનિંગ્સ 329 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગ 329 પર ઓલ આઉટ થઈ હતી. રોહિત શર્માએ ટીમ માટે 161 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. તેના સિવાય અજિંક્ય રહાણેએ 67 અને ઋષભ પંતે 58 રન બનાવ્યા હતા. આ મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલ ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે. ચેન્નાઈમાં ઈગ્લેન્ડ સામેની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 0-1 થી પાછળ છે.

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

Cricket / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

Cricket / પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 300 રન, અંતિમ સત્ર રહ્યું ઈંગ્લેન્ડનાં નામે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ