Crime/ પિતાએ પોતાના ચાર બાળકોનું ગળું દબાવી દીધું અને બાદમાં પોતાને જ લગાવી દીધી ફાંસી, સત્ય બહાર આવ્યું ત્યારે તમામ ચોંકી ગયા

દિવસેને દિવસે આપઘાત, હત્યા અને રેપની ઘટનાઓ સામે આવતી રહે છે. હવે અહીં એવી ઘટના સામે આવી છે કે તે જાણીને રુવાંટા ઉભા થઇ જશે. પિતાએ તેના ત્રણ માસુમનું ગળું દબાવી દીધું અને બાદમાં પોતાને જ ગેળફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જાણો કે આ શખ્સે શા માટે તેમના […]

India
suicide પિતાએ પોતાના ચાર બાળકોનું ગળું દબાવી દીધું અને બાદમાં પોતાને જ લગાવી દીધી ફાંસી, સત્ય બહાર આવ્યું ત્યારે તમામ ચોંકી ગયા

દિવસેને દિવસે આપઘાત, હત્યા અને રેપની ઘટનાઓ સામે આવતી રહે છે. હવે અહીં એવી ઘટના સામે આવી છે કે તે જાણીને રુવાંટા ઉભા થઇ જશે. પિતાએ તેના ત્રણ માસુમનું ગળું દબાવી દીધું અને બાદમાં પોતાને જ ગેળફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જાણો કે આ શખ્સે શા માટે તેમના પુત્રોને મારી નાખ્યા અને પોતે પણ મોતને વ્હાલું કર્યુ…

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશળગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સે પોતાના ચાર બાળકોનું ગળું દબાવીને પોતે આપઘાત કરી લીધો હતો. પોલીસે તેના વિશે માહિતી આપી હતી. પોલીસ અધિકારી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે ડુંગલાપાની ગામે બાબુ નામના શખ્સે તેના ચાર બાળકો રાકેશ, ભાગ્યા, વિક્રમ અને ગણેશની ગળું દબાવ્યું હતું. તેણે જણાવ્યું કે ત્યારબાદ તેણે પોતાને ફાંસી આપી અને આત્મહત્યા કરી લીધી.

Image result for jaipur-father-children murder

પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે ચાર બાળકો બે વર્ષથી આઠ વર્ષની વચ્ચે છે. બાળકોના ગળામાં રસ્સીનાં નિશાન પણ મળી આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે મૃતક દારૂનો નશો કરતો હતો અને તેણે નશામાં ઘટનાને અંજામ આપ્યો. 8-10 દિવસ પહેલા તેની પત્ની સાથે તેનો વિવાદ થયો હતો, ત્યારબાદ તેની પત્ની પિયર ગઈ હતી.

બાળકોની માતાએ તેના પતિ સામે બાળકોની હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી આ કેસની તપાસ શરૂ કરી છે.