સાવરકુંડલાઃ મિતિયાળા અભ્યારણમાં છેલ્લા ઘણા દિવસોથી ડુંગરાળ વિસ્તારમાં સુકાઈ ગયેલા ઘાસમાં આગ બનવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રવિવાર બપોરે મિતિયાળા અભ્યારણમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગને કાબુમાં લેવા વનવિભાગને કલાકોની જહેમત ઉઠાવવી પડી હતી. આગ ને કાબુ માં લેવા વન વિભાગે ખાંભા અને ધારી ના સ્ટાફને પણ બોલાવ્યા હતા.
જણાવી દઈએ કે એક માસમાં અહિંયા ત્રીજી વાર ભીષણ આગ લાગી હતી. ખાંભાના ડુંગરાળ વિસ્તારમાં અનેક વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે ત્યારે આગની ઝપેટમાં જીવો આવી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
વાંચો આ પણ: પોસ્ટર યુદ્ધ / પ્રજા અને સરકાર અમારું ક્યારે વિચારશે? રિક્ષાચાલકોની વ્યથાની ‘મંતવ્ય’ કરશે રજૂઆત
વાંચો આ પણ: એશિયા કપ 2022 / શ્રીલંકાને લાગી શકે છે મોટો ઝટકો, ગુમાવવી પડી શકે છે એશિયા કપની યજમાની
વાંચો આ પણ: World / ‘કેપ્ટન’ ઈમરાન ખાન બાદ હવે રમીઝ રાજાનો વારો છે, PCBના અધ્યક્ષ પદેથી આપી શકે છે રાજીનામું
વાંચો આ પણ: World / પાકિસ્તાનના 5 અજીબોગરીબ કાયદા, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે