રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થઇ ગયા છે. અભિજીત મુહૂર્તમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પછી તરત જ રામલલ્લાની પહેલી તસવીર સામે આવી છે.
પીએમ મોદી સહિત 5 લોકો ગર્ભગૃહમાં હાજર છે. સમગ્ર દેશમાં ખુશી અને ઉજવણીનો માહોલ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા આજે એટલે કે 22મી જાન્યુઆરીએ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા સામગ્રી લઈને રામ મંદિરમાં પ્રવેશ્યા છે. અગાઉ, પીએમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું, “અયોધ્યા ધામમાં શ્રી રામ લાલાના અભિષેકની અલૌકિક ક્ષણ દરેકને ભાવુક કરી દેશે. આ દિવ્ય પ્રસંગનો ભાગ બનવું એ મારા માટે મહાન સૌભાગ્ય છે. જય સિયારામ!”
આ પણ વાંચો:સુરતના કલાકારનું અદ્દભુત કામ, 9999 હીરા વડે બનાવ્યું રામ મંદિર, દર્શકો આશ્ચર્યચકિત
આ પણ વાંચો:રામ મંદિર માટે 101 કિલો સોનું ભેટ, રામલલ્લાના સૌથી મોટા દાતા કોણ?
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકાની B.D.D.S તેમજ Q.R.T ટીમ દ્વારા હાથ ધરાયું ચેકીંગ